Navsari Agricultural University
ખાતર વ્યવસ્થાપન
--------------------

રાસાયણિક ખાતર :

દિવેલા લાંબા ગાળાનો પાક હોઈ વધુ ઉત્પ્ાાદન મેળવવા તથા જમીનની ફળદૃપતા જાળવી રાખવા માટે હેકટર દીઠ ૧૦ ટન છાણીયંુ ખાતર કે એક ટન દિવેલી ખોળ આપવો આ બંને ન મળી શકે તો જુનના અઠવાડિયે ગુવાર કે શણનો લીલો પડવાશ કરી દિવેલાના પાક માટે કુલ ૧ર૦ કિ.ગ્રા. નાઈટ્રોજન તથા રપ કિલો ફોસ્ફરસ/હેકટર રાસાય્ણિક ખાતરની ભલામણ પ્રમાણે ખાતર આપવું. તેમાંથી ૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજન તથા રપ કિ. ફોસ્ફરસ/હેકટર પાયાના ખાતરના રૂપમાં ચાસમાં ૭ થી ૮ સે.મી. ઉંડે આપવું.

છેલ્લા સંશોધન પ્રમાણે દિવેલાના પાકને એકલુ રાસાય્ણિક ખાતર આપવા કરતાં નીચે પ્રમાણે સંકલિત ખાતર આપવાથી વધુ ઉત્પાદન તથા આવક મળે છે. તેમજ જમીનની ફળદૃપતા પણ જળવાઈ રહે છે.

 પ૦% રા.ખા. + રપ% ના છાણીયા ખાતરમાંથી લીલો પડવાશ.
 ૭પ% રા.ખા. + રપ% ના છાણીયુ ખાતરમાંથી કે રપ% ના દિવેલીના ખોળ દવારા અથવા લીલોપડવાશ કરીને.
 ૭પ% રા.ખા. + રપ% ના નાઈટ્રોજન છાણીયા ખાતર દવારા + એઝોસ્પીરીયમ સીડ ટ્રીટમેન્ટ (પ૦ ગ્રામ એક કિલો બીજ માટે) જમીન જો સલ્ફર તત્વની ઉણપવાળી હોય તો હેકટરે ર૦ કિલો સલ્ફર (૧રપ કિ. જીપ્સમના રૂપમાં).

વરસાદ આધારીત ખેતી :

નાઈટ્રોજન કિલો/હે. ફોસ્ફરસ કિ./હે. પોટાશ કિ./હે. ખાતર આપવાનો સમય

૪૦ ૪૦ ૦
ર૦ ૪૦ ૦ પાયામાં રોપણી સમયે
ર૦ ૦ ૦ ફુલ આવ્યે ૪પ દિવસે

પિયતવાળા વિસ્તારમાં :

નાઈટ્રોજન કિલો/હે. ફોસ્ફરસ કિ./હે. પોટાશ કિ./હે. ખાતર આપવાનો સમય

૭પ પ૦ ૦
૩૭.પ પ૦ ૦ પાયામાં રોપણી સમયે
૩૭.પ ૦ ૦ ફુલ આવ્યે ૪પ દિવસે

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.