NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

'શ્રી' પધ્ધતિના ફાયદા
  • શ્રી પધ્ધતિમાં પાણીની ઓછી જરૂરિયાત હોવાથી ૩૦-૪૦ ટકા પિયતના પાણીની બચત થાય છે.
  • સાદી રોપણી પધ્ધતિમાં હેકટરદીઠ રપ-૩૦ કિલો બીજની જરૂર પડે છે જયારે શ્રી પધ્ધતિમાં માત્ર પ કિલો બીજની જરૂર રહેતી હોવાથી ૧૦પ ટકા બીજની બચત થાય છે. હાઈબ્રીડ બીયારણની મોંઘી કિંમતને લીધે આ પધ્ધતિ હાઈબ્રીડ ડાંગરની ખેતી માટે વધુ ફાયદા કારક છે.
  • રાસાયણિક ખાતર, કીટનાશી દવાઓના ખર્ચમાં ઘટાડો થાય છે. કારણકે શ્રી પધ્ધતિમાં સેદિ્રય ખાતર તેમજ કુદરતી જૈવીક નિયંત્રણોમાં ઉપયોગ ઉપર ભાર મુકવામાં આવે છે.
  • સેંન્િદ્રય ખેતી પધ્ધતિને લીધે વધુ તંદુરસ્તી અને સ્વાદિષ્ટ ચોખા મેળવી શકાય છે.
  • ઈનપુટમાં ઓછા ખર્ચથી વધુ અને સારૂ ઉત્પાદન મળે છે.
  • શ્રી પધ્ધતિની છ ભલામણ પધ્ધતિઓમાંની કેટલીકને અપનાવવાથી પણ ઉત્પાદન વધારી શકાય છે.
  • રોપણીનો આંચકો ન લાગવાથી ધરૂ ઝડપથી ચોંટી જાય છે. આથી પાક ૧૦-૧પ દિવસ વહેલો તૈયાર થઈ જાય છે.
  • શ્રી પધ્ધતિમાં પહોળા અંતરે એક જ ધરૂની રોપણી કરવાની હોવાથી રોગીંગ ઓછુ આવતું હોવાથી બીજની જરૂર ઓછી થતી હોવાથી બ્રીડર અને ફાઉન્ડેશન બીજના સંવર્ધન માટે વધુ અનુકૂળ છે.
  • શ્રી પધ્ધતિથી મેળવેલાં બીજની ગુણવતા વધુ સારી હોય છે.