NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

બીજની માવજત

સરર્ટિફાઈડ બીજ મશીન દ્વારા પ્રોસેસ કરેલ હોય તેમાંથી પોચ નીકળી ગઈ હોય છે. જો ઘરનું બીજ વાપરવું હોય તો વાવતા પહેલાં બીજને ૩ ટકાના મીઠાના દ્રાવણમાં (૧૦ લીટર પાણીમાં ૩૦૦ ગ્રામ મીઠું) બીજને બોળી ઉપર તરી આવતા બીજને કાઢી ફેંકી દેવા. જયારે નીચે બેઠેલા બીજને બહાર કાઢી ચોખ્ખા પાણીથી બે-ત્રણ વાર ધોઈને બીજને છાંયડામાં સુકવવા. 

    ડાંગરના ધરૂ તેમજ પાકમા બીજજન્ય રોગોને અટકાવવા ડાંગરના બિયારણને કાર્બેન્ડાઝીમ સેરેસાન, અમીસાન, એગ્રોરોસાન અથવા થાયરમ પૈકી કોઈ પણ એક ફુગનાશક દવા ૩ ગ્રામ પ્રતિ ૧ કિ.ગ્રા. બીજ પ્રમાણે બીજને પટ આપવો. 

   પાનનો સુકારો/ઝાળ (બેકટેરીયલ લીફ બ્લાઈટ)ના નિયંત્રણ માટે રપ કિલો બીજને ર૪ લિટર પાણીમાં ૬ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયકલીન +૧ર ગ્રામ ભીંજક પારાયુકત દવા (એમિસાન -૬)ના દ્વાવણમાં ૮ થી ૧૦ કલાક પલાળી છાંયડે સુકવી, કોરા કરી ઉપયોગમાં લેવા. વાવણી વખતે હેક્ટરે ૨ કિલો મુજબ જૈવિક ખાતર એઝોટોબેક્ટર કલ્ચરની ૨૫ કીલો બીજને માવજત આપવી.