NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

ધરૂવાડિયુંમા રોગ નિયંત્રણ

ડાંગરના ધરૂ તેમજ પાકમા બીજજન્ય રોગોને અટકાવવા ડાંગરના બિયારણને કાર્બેન્ડાઝીમ સેરેસાન, અમીસાન, એગ્રોરોસાન અથવા થાયરમ પૈકી કોઈ પણ એક ફુગનાશક દવા ૩ ગ્રામ પ્રતિ ૧ કિ.ગ્રા. બીજ પ્રમાણે બીજને પટ આપવો. 

   પાનનો સુકારો/ઝાળ (બેકટેરીયલ લીફ બ્લાઈટ)ના નિયંત્રણ માટે રપ કિલો બીજને ર૪ લિટર પાણીમાં ૬ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયકલીન +૧ર ગ્રામ ભીંજક પારાયુકત દવા (એમિસાન -૬)ના દ્વાવણમાં ૮ થી ૧૦ કલાક પલાળી છાંયડે સુકવી, કોરા કરી ઉપયોગમાં લેવા.