Menu
Home
About Us
Team
Contact
Privacy Policy
AICRP (Fruits) - NAU
Search Here
Search
×
વ્યવસ્થાપન
જીવાતનો વધુ ફેલાવો અટકાવવા માટે શકય હોય તો ઈયળને બહાર કાઢીને નાશ કરવો. થડ ઉપર આ જીવાત ધ્વારા બનાવવામાં આવેલ સંક્રમિત સર્પાકાર ના છેડા ને પેટ્રોલથી પલાળેલ રૂ થી બંધ કરી દેવી.
ઉપદ્રવિત ઝાડ ને ઓળખી જે ડાળી કે થડ આગળ તાજો વહેરનો ભુકો પડેલો જોવા મળે તેવી ડાળી કે થડની છાલ કાઢી મેઢના ઈયળનું નાશ કરવો, જેથી ઝાડના બીજા ભાગમા અને બીજા છોડ ઉપર ઉપદ્રવ નહી થાય. તેમજ છાલની અંદર કાણું દેઆય તો તેમાં તાર નાખી અંદરથી મોટી અવસ્થાની ઈયળને બહાર કાઢી નાશ કરવો.
ઈયળ ન મળેલ હોય અને જીવંત કાણું એટલે ઝાડ ના નીચે થડની બાજુમાં ચિત્રમાં બતાવેલ મુજબ (ચિત્ર ૧ર.૧) ફ્રેશ લાકડાનું વેહેર જેવું પડેલું હશ[અથવા નુકશાન વાળી જગ્યાએ પોચી છાલ ઉપર રસ ઝરતું દેખાય તો કાણામાં કલોેરોપાયરીફોસ જંતુનાશકનું દ્રાવણ પ મિલી પ્રતિ ૧ લીટર પાણીમાં મિશ્રણ કરી સિરિંજ ની મદદથી રેડવું અથવા કાણામાં એલ્યુમિનિયમ ફાસ્ફાઈડ ની ગોળી (૩ ગ્રામ ની એક ) દરેક કાણામાં નાખવી.
વધુ ઉપદ્રવ જણાય તો પાકના આવી સંક્રમિત સર્પાકાર ભાગોને તથા ડાળીઓનો કાપીને નાશ કરવો.
જીવાતની ફેલાવો અટકાવવા માટે વાડીમાં સ્વચ્છતા જાળવવી અને ઝાડની વધુ પડતી ડાળીઓનો કાપીને નાશ કરવો. ઝાડના ફરતે પણ (બેસિન) સાફ રાખવું. પુખ્ત કીટકને ઈંડા મુકવાથી અટકાવવા માટે ઝાડની છુટક છાલને સાફ કરવી.
ઉપદ્રવીત ઝાડના કાણાંની અંદર અણીવાળા લોખંડનો તાર નાખી મેઢને મારી નાખવો. ત્યારબાદ કાણાંને રૂં ના પુમડાથી બંધ કરી ઉપર છાણ અને ભીની માટી નું લેપ લગાવી બંધ કરી દેવું. અઠવાડિયા પછી નિરીક્ષણ કરવું.
છેલ્લે છાલ કોરેલી જગ્યાએ કોપર ઓકઝીકલોરાઈડ ફુગનાશક ની પેસ્ટ લગાવવી.
ચોમાસાની શરૂઆત થાય ત્યારે પુખ્ત કીટક ઈંડા મુકવાની શરૂવાત કરે છે. તેથી જુના ઝાડના થડ ઉપર જંતુનાશકનું છંટકાવ કરવો