Menu
Home
About Us
Team
Contact
Privacy Policy
AICRP (Fruits) - NAU
Search Here
Search
×
નુકશાન
લાલ રંગની ઈયળ (ચિત્ર ૬) મધ્યમ કદના અપરિપકવ ફળમાં કાણું પાડી અંદર દાખલ થાય છે અને વિકસતા બીજ સુધી પહોંચે છે. ત્યાર બાદ બીજમાં દાખલ થઈ ફળોનાં બીજ કોરી અંદરનો ભાગ ખાઈને ઈયળ અવસ્થા પુરી કરે છે (ચિત્ર ૩).
ફળમાં ઈયળ અંદર દાખલ થયા પછી કાણું ભરાઈ જાય અને અદૃશ્ય થઈ જાય છે. જેને કારણ ફળમાં ઈયળ દેખાતી નથી અને બહારથી શોધી શકતા નથી ઈ આમ ઉપદ્રવિત ફળો તથા સારા ફળો વચ્ચે તફાવત પારખવો શકય નથી.
પછી ફરીથી ફળમાં કાણું પાડી બહાર આવી (ચિત્ર ૪) કૂમળા પાન પર કોશેટો બનાવે છે. નુકસાનવાળા ફળ ઉપર કાણું જોવા મળે (ચિત્ર ૧). કેટલીકવાર ફળમાં એક કરતા વધુ ઈયળ બીજને નુકસાન પહોંચાડે છે અને વિવિધ કાણાં પાડી બહાર આવે છે (ચિત્ર ર).
પાછળથી ફળ પરનાં આવા કાણાંમાંથી ફૂગ તથા અન્ય જીવાતો ફળમાં દાખલ થઈ નુકશાન કરે છે. આમ ઉપદ્રવિત ફળો ખાઈ શકાતાં નથી (ચિત્ર પ).
તેની ગુણવતા ઘટવાથી આમ ફળોનો બજારભાવ ઓછો મળતાં આર્થિક રીતે મોટું નુકશાન થાય છે. જેથી ખેડુતોને અથવા સહકારી મંડળી અથવા વેપારીન[વેચાણના ઓછા ભાવ મળે છે અને આર્થિક નુકસાન થાય છે. ફળોના પરિવહન અથવા સંગ્રહ દરમ્યાન આ જીવાત ફેલાવા માટેના મુખ્ય માર્ગ છે.
સામાન્ય રીતે ચોમાસુ પુરૂં થતાં ઉપદ્રવ શરૂ થાય છે અને ઓકટોબર થી ડીસેમ્બર તથા માર્ચ થી એપ્રિલ દરમ્યાન ઉપદ્રવ વધુ જોવા મળે છે. ચીકુના જુના ઝાડના ફળો ઉપર નવા ઝાડ કરતા વધારે ઉપદ્રવ જોવા મળે છે.