Menu
Home
About Us
Team
Contact
Privacy Policy
AICRP (Fruits) - NAU
Search Here
Search
×
વ્યવસ્થાપન
વાડીની સ્વચ્છતા જાળવવી તેમજ વાડીમાં નીચે પડેલાં તથા ઉપદ્રવિત અને અર્ધ પાકેલાં ફળો સમયાંતરે નિયમિત ભેગાં કરી જમીનમાં દોઢથી બે ફુટ ઉંડે ખાડામા દાટીને ખાડા ઉપર મિથાઈલ પેરાથીઓન પાવડર નાંખવો, જેથી અંદર રહેલા કોશેટામાંથી બહાર નીકળતી માખીઓનું નિયંત્રણ કરી શકાય છે.
ફળમાખીની કોશેટો અવસ્થા જમીનમાં પસાર થતી હોવાથી ઝાડની ફરતે અવાર–નવાર ખેડ અથવા ગોડ કરવાથી કાશેટો ખુલ્લા થવાથી નાશ પામશે.
ચીકુ વાડીમાં તુલસીનું વાવેતર કરી તુલસીના છોડ પર જતુંનાશક દવા આ ફળોની ૠતુ દરમ્યાન ૧પ દિવસના અંતરે છંટકાવ કરવો અને છોડ પર આકર્ષાયેલ નર કીટકોનો નાશ કરવો.
મિથાઈલ યુજીનોલ ઉપયોગ કરી ફળમાખી આકર્ષીને નાશ કરી શકાય. મિથાઈલ યુજીનોલ બજારમાં ઉપલબ્ધ હોઈ. ખેડૂતો સામાન્ય રીતે રૂ ના પુમડામાં અથવા વાદળીમાં મિથાઈલ યુજીનોલ / મિથેનોલ ´ સ્પર્શી જતુંનાશક (મેલાથીઓન / ડેલટામેથ્રીન) મૂકીને પુમડા/ વાદળીને બે બાજુ કાણા ધરાવતી પ્લાસ્ટીકની બરણીમાં મૂકી ઝાડની ડાળીએ લટકાવે છે. આ પધ્ધતિ છેલ્લા વીસેક વર્ષથી પ્રચલિત છે. આ પધ્ધતિમાં દર અઠવાડિયે / પંદર દિવસે ફરીથી દવા મૂકવી પડે છે. તેથી તેનું અમલીકરણ વ્યવસ્થિત થતું નથી. તદુપરાંત ફળમાખી સામાન્ય રીતે ર થી ૩ કિ.મી. સુધી ઉડી શકે છે. તેથી એકલ દોકલ ખેડૂત આવા ટ્રેપનો ઉપયોગ કરે તેના કરતાં સમગ્ર વિસ્તારમાં સામુહિક ધોરણે અમલીકરણ કરવામાં આવે તો તેનાં ખૂબ જ અસરકારક પરિણામો મળી શકે છે.
નવસારી કૃષિ યુનિવસિટીના ફળ સંશોધન કેન્દ્ર,ગણદેવી ખાતે હાલનાં માનનિય કુલપતિ ડો. ઝીણાભાઈ પી. પટેલ દ્વારા તેમનાં ગણદેવી ખાતેના કાર્યકાળ દરમ્યાન મિથાઈલ યુજીનોલયુકત પ્લાયવુડ બ્લોક પધ્ધતિ દ્વારા ‘નવરોજી સ્ટોનહાઉસ’ ટ્રેપ વિકસાવવામાં આવેલ છે. જે ખૂબ જ અસરકારક તેમજ ઓછી કિંમતે બનાવી શકાય છે. આ ટ્રેપ પર્યાવરણ માટે સલામત, સૌથી સસ્તું અને સહેલાઈથી અપનાવી શકાય તેવું છે. નવરોજી સ્ટોનહાઉસ ટ્રેપ (ચિત્ર ૪.૧૧) અથવા મિનરલ વોટરની ખાલી બોટલમાંથી બનાવેલ ફળ માખી ટ્રેપ (ચિત્ર ૪.૧ર) હેકટરે ૧૦ ની સંખ્યામાં વાડીમાં મુકવા.
ફળમાખી ઝડપથી અને લાંબા અંતર સુધી ઉંડી શકવાની ક્ષમતા ધરાવે છે તેથી એકલ દોકલ ખેડૂતો તેનાં નિયંત્રણ માટે પ્રયાસો કરે તો અસરકારક નિયંત્રણ મળી શકતું નથી. તેથી જે તે વિસ્તારમાં બધાં જ અથવા ખેડૂતો સામૂહિક ધોરણે પ્રયાસો કરે તો ચોકકસપણે નુકશાન ઘટાડી શકાય છે.
પરજીવી અને પરભક્ષી કિટકોની સંખ્યા કુદરતમાં જળવાઈ રહે અને તેની વસ્તી વધારવાં માટે પ્રયાસ કરવો જોઈએ.
ચીકુની વાડીમાં વધુ ઉપદ્રવ હોય તો ઈયળના નિયંત્રણ માટે પ્રમાણિત જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો.