Menu
Home
About Us
Team
Contact
Privacy Policy
AICRP (Fruits) - NAU
Search Here
Search
×
વ્યવસ્થાપન
આ જીવાતના નિયંત્રણ માટે ઉપદ્રવિત પાનના ઝુમખા ચીકુ મોથની ઈયળ સહિત તોડીને નાશ કરવો.
ઉપરોકત જીવાતોના સંકલિત નિયંત્રણ માટે શરૂઆતમાં ઓછો ઉપદ્રવ હોય તો લીમડા આધારીત જંતુનાશક દવાનોં ૩૦ મિ.લિ. ૧૦ લી. પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો અથવા લીમડાના બીજના મીંજમાંથી બનાવેલ પ ટકાના દ્રાવણનો છંટકાવ કરવો સાથે સ્ટીકર અથવા કપડાં ધોવાનો પાવડર ઉમેરવો.
જૈવિક નિયંત્રણ માટે યુરીટોમા સ્પી., ઝનથોપીપળા સ્પી., મેક્રોસેન્ટ્રસ સ્પી. અને બ્રાચીમેરીયા સ્પી. જેવા હાઇમેનોપ્ટેરન પરજીવી તથા શિકારી ભમરી, મેન્ટિડ્સ વગેરે પરભક્ષી કિટકોની સંખ્યા કુદરતમાં જળવાઈ રહે અને તેની વસ્તી વધારવાં માટે પ્રયાસ કરવા જોઈએ.
જૈવિક નિયંત્રણમાં ચોમાસું અથવા શિયાળાના વધુ ભેજવાળા વાતાવરણમાં પરજીવી જીવાણુ (બેસીલસ થુરીન્જીન્સીસ ૧૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં) અને ફુગ (બીવેરીયા બેસીયાના ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં) કીટ નિયંત્રણ માટે વાપરવL યોગ્ય છે. તેના અસરકારક પરિણામ માટે વાતાવરણમાં નીચું તાપમાન અને સાપેક્ષ ભેજનું પ્રમાણ ૭૦ ટકા કરતાં વધારે હોવું ખુબ જ આવશ્યક છે.
વધુ ઉપદ્રવ હોય તો ફેબ્રુઆરીના બીજા અથવા માર્ચના પહેલા પખવાડિયાથી ફુલ આવવાના સમયે કળી કોરનાર ઈયળ માટે પાક સંરક્ષણના પગલાં હાથ ધરવામાં આવેલ હોય તો આ જીવાતનું પણ નિયંત્રણ થઈ શકે છે.
તે સિવાય નવા ફુલ આવવાના સમયે વધુ ઉપદ્રવ હોય તો ઓકટોબરના પહેલા પખવાડિયાથી શરૂ કરી રાસાયણિક નિયંત્રણમાં પ્રોફેનોફોસ સાયપરમેથ્રીન ૪૪ ઈસી ૧૦ મિ.લિ. અથવા લેમડાસાયહેલોેથ્રીન ર.પ ઈસી ૧૦ મિ.લિ. અથવા કલોરપાયરીફોસ ´ સાયપરમેથ્રીન પપ ઈસી ૧૦ lમ.લિ. પૈકી કોઈપણ એક દવા ૧૦ લીટર પાણીમાં દવાનો છંટકાવ તજજ્ઞની સલાહ લઈ કરવાથી કળી કોરનાર ઈયળનુ નિયંત્રણ કરી શકાય છે. ઉપરોકત છંટકાવ જરૂરિયાતના આધારે અથવા ૧પ થી ર૦ દિવસના અંતરે ર થી ૩ વખત છંટકાવ કરવો જોઈએ. કોઈપણ દવાના સતત બે છંટકાવ કરવા જોઈએ નહી.