Menu
Home
About Us
Team
Contact
Privacy Policy
AICRP (Fruits) - NAU
Search Here
Search
×
વ્યવસ્થાપન
વાડીની સ્વચ્છતા જાળવવી તેમજ વાડીમાં નીચે પડેલાં તથા ઉપદ્રવિત અને અર્ધ પાકેલાં ફળો સમયાંતરે નિયમિત ભેગાં કરી જમીનમાં દોઢથી બે ફુટ ઉંડે ખાડામા દાટીને ખાડા ઉપર મિથાઈલ પેરાથીઓન પાવડર નાંખવો, જેથી અંદર રહેલા કોશેટામાંથી બહાર નીકળતી માખીઓનું નિયંત્રણ કરી શકાય છે.
ફળમાખીની કોશેટો અવસ્થા જમીનમાં પસાર થતી હોવાથી ઝાડની ફરતે અવાર–નવાર ખેડ અથવા ગોડ કરવાથી કાશેટો ખુલ્લા થવાથી નાશ પામશે.
ચીકુ વાડીમાં તુલસીનું વાવેતર કરી તુલસીના છોડ પર જતુંનાશક દવા આ ફળોની ૠતુ દરમ્યાન ૧પ દિવસના અંતરે છંટકાવ કરવો અને છોડ પર આકર્ષાયેલ નર કીટકોનો નાશ કરવો.
વાડીની સ્વચ્છતા જાળવવી તેમજ વાડીમાં નીચે પડેલાં તથા ઉપદ્રવિત અને અર્ધ પાકેલાં ફળો સમયાંતરે નિયમિત ભેગાં કરી જમીનમાં દોઢથી બે ફુટ ઉંડે ખાડામા દાટીને ખાડા ઉપર મિથાઈલ પેરાથીઓન પાવડર નાંખવો, જેથી અંદર રહેલા કોશેટામાંથી બહાર નીકળતી માખીઓનું નિયંત્રણ કરી શકાય છે.
ફળમાખીની કોશેટો અવસ્થા જમીનમાં પસાર થતી હોવાથી ઝાડની ફરતે અવાર–નવાર ખેડ અથવા ગોડ કરવાથી કાશેટો ખુલ્લા થવાથી નાશ પામશે.
તુલસીનું વાવેતર કરી તુલસીના છોડ પર જતુંનાશક દવા આ ફળોની ૠતુ દરમ્યાન ૧પ દિવસના અંતvચીકુ વાડીમાંરે છંટકાવ કરવો અને છોડ પર આકર્ષાયેલ નર કીટકોનો નાશ કરવો.
મિથાઈલ યુજીનોલ ઉપયોગ કરી ફળમાખી આકર્ષીને નાશ કરી શકાય. મિથાઈલ યુજીનોલ બજારમાં ઉપલબ્ધ હોઈ. ખેડૂતો સામાન્ય રીતે રૂ ના પુમડામાં અથવા વાદળીમાં મિથાઈલ યુજીનોલ / મિથેનોલ ´ સ્પર્શી જતુંનાશક (મેલાથીઓન / ડેલટામેથ્રીન) મૂકીને પુમડા/ વાદળીને બે બાજુ કાણા ધરાવતી પ્લાસ્ટીકની બરણીમાં મૂકી ઝાડની ડાળીએ લટકાવે છે. આ પધ્ધતિ છેલ્લા વીસેક વર્ષથી પ્રચલિત છે. આ પધ્ધતિમાં દર અઠવાડિયે / પંદર દિવસે ફરીથી દવા મૂકવી પડે છે. તેથી તેનું અમલીકરણ વ્યવસ્થિત થતું નથી. તદુપરાંત ફળમાખી સામાન્ય રીતે ર થી ૩ કિ.મી. સુધી ઉડી શકે છે. તેથી એકલ દોકલ ખેડૂત આવા ટ્રેપનો ઉપયોગ કરે તેના કરતાં સમગ્ર વિસ્તારમાં સામુહિક ધોરણે અમલીકરણ કરવામાં આવે તો તેનાં ખૂબ જ અસરકારક પરિણામો મળી શકે છે.