Menu
Home
About Us
Team
Contact
Privacy Policy
AICRP (Fruits) - NAU
Search Here
Search
×
નુકશાન
માદા કીટક (ચિત્ર ૧૦) કળી કે કૂમળા પાન પર એકલ દોકલ ઈંડા મૂકે છે. નાની ઈયળ (ચિત્ર ૧) શરૂઆતમાં કૂમળા પાનને મધ્યનસથી કોતરી ખાય છે (ચિત્ર ૩).
બીજી, ત્રીજી અને ચોથી અવસ્થાની ઈયળો (ચિત્ર ર) પાનને મધ્યનસથી વાળી દઈ બે ધારો વચ્ચે જાળુ બનાવે છે. ઈયળ આવા વાળેલા પાનમાં જ રહીને પાનના હરિતદ્રવ્ય ખાઈને નુકશાન કરે છે જેથી પાન સુકાઈ જાય છે (ચિત્ર ૬).
એક વાળેલા પાનમાં એક જ ઈયળ જોવા મળે છે. ઈયળથી નુકસાનવાળા પાન વટાણા આકારના જોવા મળે (ચિત્ર ૭). પરંતુ ઈયળ નુકશાન કરેલ પાનમાં કાણું પાડીને બહાર નીકળી બીજા પાનને નુકશાન કરે છે (ચિત્ર ૮).
આમ ઈયળ તેની ૧૩ થી ૧૮ દિવસની અવસ્થા દરમ્યાન પ થી ૧૦ પાનને નુકશાન કરે છે (ચિત્ર પ).
આ જીવાતનો વધુ પડતો ઉપદ્રવ હોય તો બધી જ કૂંપળો સુકાય જાય છે. જેને દૂરથી ઓળખી શકાય છે (ચિત્ર ૪).
કયારેક આ ઈયળ બે–ચાર કળીયોને ભેગા કરી તેમાં ભરાઈને કળીઓને સીધું નુકશાન કરે છે.
ઈયળની પરિપકવ અવસ્થા પાનમાં કાણું પાડીને બહાર નીકળી જમીનમા અથવા પાનના ઝુમખામાં અથવા પાન પર રતાશ પડતા બદામી રંગનો કોશેટો બનાવે છે (ચિત્ર ૯).
આ જીવાત ચીકુના બગીચામાં વાવેલા નવી કલમો પર વધારે નુકશાન જોવા મળે છે, જેનાથી નવા રોપાઓની વૃદ્ધિ તથા વિકાસના તબકકા પર અસર કરે છે.
આ જીવાતનું નુકશાન નર્સરીમાં રાયણના (ચીકુના મુળકાંડ) પાન પર પણ જોવા મળે છે.
સામાન્ય રીતે આ જીવાતનો ઉપદ્રવ એપ્રિલ થી જુન તેમજ ઓકટોબર થી ડીસેમ્બર દરમ્યાન જયારે નવા પાન ફુટે ત્યારે વધુ જોવા મળે છે.