Menu
Home
About Us
Team
Contact
Privacy Policy
AICRP (Fruits) - NAU
Search Here
Search
×
નુકશાન
ઈંડામાંથી નીકળેલી ઈયળ (ચિત્ર ૧) કળી તથા ફુલમાં ઉપરના ભાગમાં કાણું પાડીને દાખલ થાય છે અને અંદરનો ભાગ કોરી ખાય છે, પરિણામે ફળો બેસતાં નથી (ચિત્ર જેથી ઉત્પાદન પર સીધી અસર થાય છે. ઈયળ કળી તથા ફુલમાં અંદર રહે છે તથા નુકસાનવાળી કળીની ઉપર દુધ તથા ઈયળની હગાર જોવા મળે છે (ચિત્ર ૩).
નવી પીલવણી વખતે નાની ઈયળ કુમળા પાનને ખાઈને પણ નુકશાન કરે છે (ચિત્ર ૮).
ઉપદ્રવિત કળીની ફરતે કાણાં જોવા મળે છે તેમજ કળીનો કેટલોક ભાગ સંપૂર્ણ રીતે ખવાઈ ગયેલો જોવા મળે છે (ચિત્ર ૪). કેટલીકવાર ઈયળ બે કળી ભેગી કરીને નુકસાન કરે છે (ચિત્ર પ). આ રીતે ઉપદ્રવિત કળી ઈયળોની હગાર સાથે સમયાંતરે સુકાઈ જાય છે (ચિત્ર ૬).
ઈયળ એક કળીથી બીજી કળી તરફ ફરે છે અને સમગ્ર ઈયળ અવસ્થા દરમ્યાન એક ઈયળ આશરે ૩v૪ કળીઓને નુકશાન કરે છે (ચિત્ર ૭).
આ જીવાતનો ઉપદ્રવ આખા વર્ષ દરમ્યાન જોવા મળે છે. પરંતુ માર્ચ થી જૂન મહિના દરમ્યાન નુકશાન વધતું જાય છે.