Menu
Home
About Us
Team
Contact
Privacy Policy
AICRP (Fruits) - NAU
Search Here
Search
×
વ્યવસ્થાપન
ઉપદ્રવિત પાન, કળી અને ફુલ ઈયળ સહિત તોડીને નાશ કરવો.
ચીકુની પીકેએમ ૧, પીકેએમ ૪, મોહનગુંઠી, ઝુમખીયા અને પીલીપત્તી જાતમાં કળી કોરનાર ઈયળનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે.
કાળી તુલસીના પાનના રસ સાથેની ઝેરી પ્રલોભીકા ‘‘નર આકર્ષક પિંજર’’ માં રાખી ઉપયોગ કરવાથી ચીકુની કળી કોરનાર જીવાતના ઉપદ્રવને ઓછો કરી શ્ાકાય. આ કીટકના નર ફૂદા ‘‘કાળી તુલસી’’ (ઓસમમ સેંકટમ) ના પાનના રસ તરફ આકર્ષાઈને આવે છે. જેથી કાળી તુલસીના પાનના રસ સાથેની ઝેરી પ્રલોભીકા ‘‘નર આકર્ષક પિંજર’’ માં રાખી ઉપયોગ કરવાથી આ જીવાતના ઉપદ્રવને ઓછા ખર્ચે“કાબૂમાં રાખી શકાય છે. નર આકર્ષક પિંજર બનાવવા માટે પ્લાસ્ટીકની ૧ર સે.મી. લાંબી અને ૧૦ સે.મી. વ્યાસવાળી ગોળ બરણીમાં તળીયાના મધ્યભાગમાં તથા બરણીના ઢાંકણ ઉપર મધ્યભાગથી સહેજ ઉપર અથવા નીચે ર.પ સે.મી. વ્યાસવાળી ગોળ કાણાં પાડવા. પિંજરને લટકાવવા ગોળ કાણાં પાડવા. પિંજરને લટકાવવા માટે બરણીના વચ્ચેના ભાગે એક નાન]\ કાણું પાડી તેમાં દોરી બાંધવી. આ પિંજર જમીનથી ૧.પ થી ૩ મીટરની ઉંચાઈએ રહે તેમ ચીકુના ઝાડના ડાળી પર લટકાવવું. તુલસીના પ૦૦ ગ્રામ પાનને ઈલેકટ્રીક ગ્રાઈન્ડરમાં અથવા ખલમાં લસોટી પાનમાંથી નીકળેલા રસમાં ૧ લીટર પાણી ઉમેરી પાતળા કાપડથી ગાળીને મિશ્રણમાં ર મી.લી. સ્પર્શી જતુંનાશક દવા ઉમેરવી.
આ મિશ્રણમાં ર.પ × ર.પ સે.મી કદના વાદળીના ટુકડા ઝબોળી દરેક પિંજરના મધ્યમાં એક ટુકડો મુકવો. એક હેકટર વિસ્તારમાં ૮ થી ૧૦ પિંજર લટકાવવા જોઈઅ[ Pઉપરોકત મિશ્રણ એક અઠવાડિયા સુધી ઉપયોગમાં લઈ શકાય છે. પિંજરમાં આંતરે દિવસે વાદળીના ટુકડા પર મિશ્રણ રેડવ પિંજરમાં નર ફૂદા આકર્ષાઈ આવશે તે ઝેરી મિશ્રણના સંસગ”માં આવતા મરી જશે. મરી ગયેલા ફૂદાઓનો વખતો વખત નિકાલ કરવો.
જૈવિક નિયંત્રણ માટે એપેન્ટેલિસ હાઇપોસિડ્રે, ફેનેરોટોમા હેન્ડીકેસીસેલા અને ગોનીઓઝસ સ્પી. જેવા પરજીવી તથા પરભક્ષી કિટકોની સંખ્યા કુદરતમાં જળવાઈ રહે અને તેની વસ્તી વધારવાં માટે પ્રયાસ કરવો જોઈએ.
જૈવિક નિયંત્રણમાં ચોમાસું અથવા શિયાળાના વધુ ભેજવાળા વાતાવરણમાં પરજીવી જીવાણુ (બેસીલસ થુરીન્જીન્સીસ ૧૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં) અને ફુગ (બીવેરીયા બેસીયાના ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં) કીટ નિયંત્રણ માટે વાપરવી યોગ્ય છે. તેના અસરકારક પરિણામ માટે વાતાવરણમાં નીચું તાપમાન અને સાપેક્ષ ભેજનું પ્રમાણ ૭૦ ટકા કરતાં વધારે હોવું ખુબ જ આવશ્યક છે.
ઉપરોકત જીવાતોના સંકલિત નિયંત્રણ માટે શરૂઆતમાં ઓછો ઉપદ્રવ હોય તો લીમડા આધારીત જંતુનાશક દવા ૩૦ મિ.લિ. ૧૦ લીટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો અથવા લીમડાના બીજના મીંજમાંથી બનાવેલ પ ટકાના દ્રાવણનો છંટકાવ કરવો સાથે સ્ટીકર અથવા કપડાં ધોવાનો પાવડર ઉમેરવો.
વધુ ઉપદ્રવ હોય તો ફેબ્રુઆરીના બીજા અથવા માર્ચના પહેલા પખવાડિયાથી ફુલ આવવાના સમયે શરૂ કરી રાસાયણિક નિયંત્રણમાં પ્રોફેનોફોસ ´ સાયપરમેથ્રીન ૪૪ ઈસી ૧૦ મિ.લિ. અથવા લેમડાસાયહેલોેથ્રીન ર.પ ઈસી ૧૦ મિ.લિ. અથવા કલોરપાયરીફોસ ´ સાયપરમેથ્રીન પપ ઈસી ૧૦ મિ.લિ. પૈકી કોઈપણ એક દવા ૧૦ લીટર પાણીમાં દવાનો છંટકાવ તજજ્ઞની સલાહ લઈ કરવાથી કળી કોરનાર ઈયળનુ નિયંત્રણ કરી શકાય છે. ઉપરોકત છંટકાવ જરૂરિયાતના આધારે અથવા ૧પ થી ર૦ દિવસના અંતરે ર થી ૩ વખત છંટકાવ કરવો જોઈએ. કોઈપણ દવાના સતત બે છંટકાવ કરવા જોઈએ નહી.