Menu
Home
About Us
Team
Contact
Privacy Policy
AICRP (Fruits) - NAU
Search Here
Search
×
વ્યવસ્થાપન
યોગ્ય પ્રમાણમાં પિયત આપવું તથા ચોમાસા દરમ્યાન વાડીમાંથી વધારાના પાણીનો નિકાલ કરવો. ઝાડના ફરતે પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવી.
સેન્દ્રિય ખાતરોનો જેવા કે રાયડાનો ખોળ, મગફળીનો ખોળ, લીમડાનો ખોળ તેમજ દિવેલાનો ખોળ નો વધારે ઉપયોગ કરવો.
આ રોગના જૈવિક નિયંત્રણ માટે ફૂગનાશક કલ્ચર ટ્રાઈકોડર્મા વીરીડીને સારા કહોવાયેલા છાણીયા ખાતરના ઢગલામાં ભેળવી જરૂરિયાત મુજબનો ભેજ રાખી મિશ્ર કરતા રહેવું, ત્યાર બાદ મહિના પછી આ ફૂગનાશક ખાતર વરસાદ પહેલા આપવાથી ખૂબ જ સારૂ પરિણામ જોવા મળેલ છે.
આ રોગના નિયંત્રણ માટે ર૦ થી રપ દિવસના અંતરેબે થી ત્રણ વખત ઝાડના થડનું ઢીંમુ ખોલી ર૦ લિટર પાણીમાં ર૦ ગ્રામ કાર્બેન્ડાઝીમ દવા અને ર૦૦ ગ્રામ યુરિયાનું દ્રાવણ બનાવીને થડમાં રેડવું. આજ પ્રમાણે રોગિષ્ટ ઝાડની ચારે દિશાના આજુબાજુ વાળા તંદુરસ્ત ઝાડમાં પણ ઉપર મુજબની માવજત આપવી.
ચીકુની વાડીમાં ઉપદ્રવના પ્રારંભિક તબકકે રોગના નિયંત્રણ માટે પ્રમાણિત ફૂગનાશક દવાઓનો ઉપયોગ કરવો. સામાન્ય રીતે જીવાતો નિયંત્રણ માટે વપરાતી દવાનો છંટકાવ તજજ્ઞની સલાહ લઈ કરવો.
ચીકુની વાડીમાં ઉપદ્રવના પ્રારંભિક તબકકે રોગના નિયંત્રણ માટે પ્રમાણિત ફૂગનાશક દવાઓનો ઉપયોગ કરવો. સામાન્ય રીતે જીવાતો નિયંત્રણ માટે વપરાતી દવાનો છંટકાવ તજજ્ઞની સલાહ લઈ કરવો.