Menu
Home
About Us
Team
Contact
Privacy Policy
AICRP (Fruits) - NAU
Search Here
Search
×
નુકશાન
આ રોગ આડકતરી રીતે થાય છે અને ઉત્પાદન ઉપર આડકતરી અસર કરે છે.
આ રોગ મુખ્યત્વે જયાં ભીંગડાવાળી જીવાત તેમજ ચિકટો જીવાતનાં ઉપદ્રવ વધુ પ્રમાણમાં હોય તેવા વિસ્તારમાં જોવા મળે છે.
આ જીવાતોના શરીરમાંથી એક જાતનું ચીકણું અને ગળ્યુ પ્રવાહી ઝરે છે જે પાન તેમજ વૃક્ષની ડાળીઓ પર પડે છે. પરિણામે પાન અને ડાળીઓ પર કાળા રંગની ફૂગ ઉગી નીકળે છે (ચિત્ર ૧ અને ર). તેથી આ રોગને શ્યામ છારો કહેવામાં આવે છે.
ફૂગના આવરણની સીધી અસર પાનની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર થતી હોવાથી ખોરાક બનાવવામાં અવરોધ પેદા થાય છે. જેને પરિણામે ઝાડની વૃધ્ધિ તેમજ યોગ્ય વિકાસ અટકે છે.
વાતાવરણમાં વધુ પડતો ભેજ તેમજ કલમોની ગીચ રોપણી આ રોગને અનુકૂળ આવે છે.