Menu
Home
About Us
Team
Contact
Privacy Policy
AICRP (Fruits) - NAU
Search Here
Search
×
નુકશાન
સામાન્ય રીતે તૈયાર થયેલાં અર્ધ પાકા અથવા પરિપકવ ચીકુ તથા અન્ય ફળોની સપાટી પર આ માદા ફળમાખી (ચિત્ર ૧) છાલમાં કાણું પાડી ઈંડા મૂકે છે (ચિત્ર ૩). આ કાણામાંથી રસ ઝરે છે (ચિત્ર ર). જેમાંથી નીકળેલી ઈયળ (ચિત્ર ૪ અને પ) ફળોની અંદરનો ગર્ભ ખાઈને નુકશાન કરે છે (ચિત્ર ૬) અને પછી બહાર આવીને જમીનમાં કોશેટા બનાવે છે. જેમાંથી ફળમાખીના પુખ્ત કીટક બહાર આવીને નર અને માદા ફળમાખીના સંવનન બાદ માદા માખી ફળમા અંડનિષ્પેષક દાખલ કરી ઈંડા મૂકે છે.
ફળમાખીથી ઉપદ્રવિત ફળોની ગુણવતા બગડે છે અને તે ખાવાલાયક રહેતાં નથી (ચિત્ર ૭). ઉપદ્રવિત અપરિપકવ ફળો પોચા પડે છે અને જમીન પર ખરી પડે છે (ચિત્ર ૮) તદુપરાંત આ ફળમાખીનો ઉપદ્રવ જે વિસ્તારમાં વધુ હોય તે વિસ્તારની બજારમાં શાખ પણ બગડે છે. ફળમાખીનો વધુ ઉપદ્રવ હોય તો નુકસાન થયેલા ફળ જમીન પર પડે છે જેનાથી ઉત્પાદન ઘટે છે.
આ ફળમાખી ઉત્પાદન, ગુણવતા અને બજારમાં શાખના સંદર્ભમાં એક અગત્યની જીવાત ગણી શકાય.
ચીકુ વાડીમાં ટ્રેપમાં ફળમાખીના નર કીટકો આખા વર્ષ દરમ્યાન આકર્ષાયેલ જોવા મળે છે. આંબાના પાકમાં નુકશાન કરતી ફળમાખી ચીકુના પાકમાં પણ નુકશાન કરે છે.
આ જીવાતનો ઉપદ્રવ એપ્રિલ થી જુન મહિનામાં વધારે જોવા મળે છે. આ સિવાય નજીકમાં ઉપદ્રવિત આંબાવાડીઓ હોવાથી પણ આ જીવાતનું ઉપદ્રવ ચીકુવાડીમાં વધારે જોવા મળે છે. નુકસાનની મર્યાદા ફળની સ્થિતિ તથા અન્ય ફળની ઉપલબ્ધતા પર આધારીત રહે છે.