Menu
Home
About Us
Team
Contact
Privacy Policy
AICRP (Fruits) - NAU
Search Here
Search
×
વ્યવસ્થાપન
આ જીવાતના નિયંત્રણ માટે ઉપદ્રવિત પાનના ઝુમખા અને પાન વાળનારી ઈયળ સહિત તોડીને નાશ કરવો.
વાડીની સ્વચ્છતા જાળવવી તેમજ વાડીમાં નુકશાન પામેલ પાનનો અને ડાળીઓનો સમયાંતરે નિયમિત ભેગાં કરી તેનો નાશ કરવા[જેનાથી જીવાતના ફેલાવાતી અટકાવી શકાય છે.
ઉપરોકત જીવાતોના સંકલિત નિયંત્રણ માટે શરૂઆતમાં ઓછો ઉપદ્રવ હોય તો લીમડા આધારીત જંતુનાશક દવાના ૩૦ મિ.લિ. ૧૦ લી. પાણીમાં બનાવી છંટકાવ કરવો અથવા લીમડાના બીજના મીંજમાંથી બનાવેલ પ ટકાના દ્રાવણનો છંટકાવ કરવો સાથે સ્ટીકર અથવા કપડાં ધોવાનો પાવડર ઉમેરવો.
રાસાયણિક નિયંત્રણ માટે મોજણી કરતાં રહેવું અને જો ૧૦ ટકાની ઉપર ઉપદ્રવિત પાન જોવા મળે ત્યારે છંટકાવ કરવો.
જૈવિક નિયંત્રણ માટે એપેનન્ટેલીસ સ્પી. અને યુરીટોમા સ્પી. જેવા પરજીવી તથા પરભક્ષી કિટકોની સંખ્યા કુદરતમાં જળવાઈ રહે અને તેની વસ્તી વધારવાં માટે પ્રયાસ કરવા જોઈએ.
આ ઉપરાંત કળી કોરનાર ઈયળ માટે પાક સંરક્ષણના પગલાં હાથ ધરવામાં આવેલ હોય તો આ જીવાતનું પણ નિયંત્રણ થઈ શકે છે. સામાન્ય રીતે જીવાતો નિયંત્રણ માટે વપરાતી દવાનો છંટકાવ તજજ્ઞની સલાહ લઈ કરવો.