પિયત વ્યવસ્થાપન
--------------------
ચણાનો પાક પિયત અને બિનપિયત પરિસ્િથતિમાં લઈ શકાય છે. બિનપિયત ચણાનું ઉત્પાદન પ્રમાણમાં ખુબ જ ઓછું મળે છે. ચણાના પાકને જમીનની પરિસ્િથતિ, જમીનનો ભેજ અને વિસ્તાર પ્રમાણે બે થી ચાર પિયત આપવાથી ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરી શકાય છે. દક્ષિાણ ગુજરાતની ભારે કાળી જમીન કે જયાં બિનપિયત ચણા થઈ શકે છે અને પિયતની સગવડતા છે. ત્યાં ચણાના પાકને વાવણી વખતે અને પોપટા બેસતી વખતે બે પિયત આપવાથી બિનપિયત પાક કરતા વધારે ઉત્પાદન મળે છે.
મધ્ય ગુજરાત અને દક્ષિાણ ગુજરાતની મધ્યમ કાળી જમીન વાળા વિસ્તારમાં ચણાના પાકને વાવણી બાદ ત્રણ પિયત ૩૦, ૪પ અને ૭૦ દિવસે આપવાથી ફાયદો થાય છે. ઉત્તર ગુજરાતની હલકી પ્રત ધરાવતી જમીનમાં વાવણી બાદ ર૦ દિવસના અંતરે હળવાં પિયત આપવાથી પણ કયારા પદ્ઘતિ કરતાં લગભગ ૩૦ ટકા જેટલું વધારે ઉત્પાદન મળે છે. સૈારાષ્ટ વિસ્તારની મધ્યમ કાળી જમીનમાં ચણાના પાકને વાવણી બાદ ૧૦ થી ૧ર દિવસે પ્રથમ અને ત્યારબાદ ૧૮-ર૦ દિવસના અંતરે પિયત આપવાથી ઉત્પાદન વધારે મળે છે.