NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

મેદાની વિસ્તાર માટે રાસાયણિક ખાતર

ડાંગરના પાકનુ વધુ ઉત્પાદન લેવા અને ખાતરનો બીનજરૂરી ખર્ચ નિવારવા માટે કૃષિ વૈજ્ઞાનિકોની ભલામણ અનુસાર ડાંગર પાકના પાકવાના દિવસોને ધ્યાને લઈ પ્રતિ હેક્ટરે (૨.૫ એકર) ૮૦ થી ૧૨૦ કિલો નાઈટ્રોજન તત્વ, 30 કિલો ફોસ્ફરસ તત્વ અને જમીનનુ પ્રુથ્થકરણ કરાવ્યુ હોય અને પોટશ ની ઉણપ હોય તો રીપોર્ટમા કરેલ ભલામણ મુજબ આપવુ. જમીનમાં જસત (ઝીંક) તત્વની ઉણપ હોય તો પ્રતિ હેકટરે રપ થી ૩૦ કિલો ઝીંક સલ્ફેટ જમીનમાં આપવું. ઉપરાંત પ્રતિ હેક્ટરે ૧૦ ટન છનીયુ ખાતર આપવાની ભલામણ છે.