Navsari Agricultural University

કરનલબન્ટ

આપણા રાજયને કરનલબન્ટ રોગમુકત પ્રદેશ ગણવામાં આવે છે. જેથી આ રોગનો પગપેસારો આપણા રાજયમાં ન થાય તે માટે આ રોગ ઓળખી, તેના પ્રત્યે સમજદારીપૂર્વકની સાવધાની રાખવા માટે અત્રે ઉલ્લેખ કરેલ છે.

કરનલબન્ટ

આ રોગમાં રોગિષ્ઠ દાણાનો ભ્રુણપ્રદેશ અથવા ઉગાવાવાળો ભાગ કાળો, થોડો ઉપસેલો અને ચળકાટવાળો દેખાય છે. રોગિષ્ઠ દાણામાં દાણાની અંદરનો ગર્ભ સામાન્ય નહી રહેતાં ફૂગના કાળા બીજકણોમાં રૂપાંતરિત થયેલ હોય છે. જેથી તે ભાગ તોડવાથી તેમાંથી કાળી ભૂકી નીકળે છેે. તેમજ આવા દાણામાંથી સડેલી માછલી જેવી વાસ અથવા દુર્ગંધ આવતી હોય છે.

અટકાવવાના ઉપાય:

રોગમુકત બિયારણ અથવા કરનલબન્ટમુકત વિસ્તારોમાં ઉત્પન્ન કરેલ પ્રમાણિત બિયારણનો જ વાવણી માટે ઉપયોગ કરવો જોઈએ.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.