NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી
શેરડીના વેધકો

શેરડીના વેધકો સાંઠામાં દાખલ થઈ નુકસાન કરતા હોવાથી છોડ પર છાંટવામાં આવતી જંતુનાશક દવાઓ તેને કાબુમાં લેવા માટે પૂરતી અસરકારક નીવડતી નથી. આ ઉપરાંત શેરડીનો પાક ઉંચો થતો હોય તેમજ પ્રવાહી જંતુનાશક દવા છાંટવામાં મુશ્કેલી પડતી હોવાથી શેરડીની જીવાતોનું સંકલિત નિયંત્રણ કરવામાં આવે તે વધુ ઈચ્છનીય અને પોષણક્ષમ છે.